૧૯૪૭ની પાંચમી જુલાઈએ તે વખતના રજવાડાઓ સાથે વાટાઘાટો કરવા માટે અલગ મંત્રાલયની રચના કરવામાં આવી હતી, જેના મંત્રી તરીકે સરદાર પટેલને મૂકવામાં આવ્યા હતા. તેમણે અત્યંત ટૂંકા ગાળામાં મોટા ભાગનાં રજવાડાઓને ભારતીય સંઘમાં જોડાવા માટેના કરાર પર સહી કરવા માટે તૈયાર કરી દીધા હતા.
આ રીતે ઈતિહાસમાં સૌપ્રથમ વાર તેઓએ એક રાષ્ટ્ર તરીકે દેશના સુશાસનની પ્રક્રિયામાં જોડાવા માટે સૌને તૈયાર કરવામાં વિરલ સફળતા મેળવી હતી.
૧૫મી ઓગસ્ટના રોજ આખરે ભારતને આઝાદી મળી હતી. સરદાર પટેલને એ વખતે દેશના નાયબ વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા
૨૬મી ઓક્ટોબરે મહારાજા હરિસિંહે કાશ્મીરને ભારતીય સંઘમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી. સરદાર પટેલે રક્ષણ માટે ભારતીય લશ્કરને કાશ્મીર મોકલ્યું હતું
૯ નવેમ્બર જૂનાગઢનો વિવાદ
રજવાડાઓના વિલીનીકરણ દરમિયાન જૂનાગઢનો મોટો વિવાદ સર્જાયો હતો. લોર્ડ માઉન્ટ માઉન્ટબેટને જૂનાગઢના વિવાદને યુનોમાં લઈ જવાની સલાહ આપી હતી. જોકે સરદાર પટેલે જૂનાગઢ રાજ્યને ભારતના સંઘમાં જોડવા માટે તત્કાલીન ભારત સરકારને જણાવ્યું હતું . અને આરઝી હૂકૂમતની મદદ વડે જૂનાગઢને ભારતમાં જોડાયું હતું
૧૩ નવેમ્બર સોમનાથની મુલાકાત
સૌરાષ્ટ્રના સાગરકિનારે આવેલા જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની મુલાકાત લઇને સરદાર પટેલે જાહેર ફંડમાંથી મંદિરના પુનર્નિર્માણનો નિર્ણય કરાવ્યો હતો.