આવો, વિશ્વના સૌથી ઊંચા
સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળો
માનનીય વડા પ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતની ઝલક
સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક જ આવેલું છે આ અનોખુ કેકટ્સ ગાર્ડન. આ ગાર્ડનમાં થોરની અલગ અલગ પ્રજાતિ જોવા મળે છે.
થોર એ એક આકર્ષક અને અલગ અલગ આકાર અને કદમાં ઊગતો છોડ છે. સામાન્યપણે જાડા અને માવાવાળા પાંદડાવાળી આ વનસ્પતિ વિષમ પરિસ્થિતિમાં જ ઉગે છે. આ ઉપરાંત ધરતીની સૌથી સૂકા ગણાતા એટાકામા ડેઝર્ટમાં પણ થોર જોવા મળે છે. થોરના જાડા અને ચમકદાર ભાગમાં પાણી એકઠું થાય છે.
રિવર રાફ્ટિંગ ભારતનું ઊભરી રહેલી એક એડવેન્ચર તથા લોકપ્રિય રમત છે. દરેક સાહસિક રમતવીર રાફ્ટિંગ માટે ધસમસતો પાણીનો પ્રવાહ અને નદીના જોખમી વળાંકો ઇચ્છતો હોય છે. નર્મદા નદીમાં રિવર રાફ્ટિંગ એ સાહસિક રમતવીરોને આવો અનન્ય અનુભવ કરવાની એક ઉજળી તક આપશે.
શ્રી નરેન્દ્ર મોદી
માનનીય વડાપ્રધાનશ્રી
“ભારત દેશ વિવિધતામાં એકતાનો ઘણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. તેનાં મૂળ ભારત દેશના ‘વસુધૈવ કુટુમ્બકમ’ની વિભાવનામાં રહેલા છે, જેનો અર્થ થાય છે સમગ્ર સૃષ્ટિ એ મારું કુટુંબ છે. ૧૯૪૭માં ભારત દેશ સ્વતંત્ર થયો એ વેળા લગભગ ૫૬૨ જેટલાં નાનાં-મોટાં રજવાડાઓમાં વહેંચાયેલો હતો. દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ભારતરત્ન સરદાર વલ્લભભાઇ પટેલે દૃઢ નિશ્ચયબદ્ધતા થકી એ રજવાડાંઓને એક તાંતણે બાંધીને ભારતના મુખ્ય પ્રવાહમાં સામેલ કર્યા. પરિણામે આજના અખંડ ભારતનું સર્જન થઇ શક્યું છે. દેશને તેમણે નવો આકાર આપ્યો છે. સરદાર પટેલનું જીવન દેશની વર્તમાન અને ભાવિ પેઢીઓને માટે હંમેશા પ્રેરણાદાયી બની રહેશે. એ હેતુથી જ એમના ૧૪૩મા જન્મદિન પ્રસંગે તેમના વિશેષ સ્મારક રૂપે એવી વિરાટ પ્રતિમા, ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલ છે. સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન એમણે પૂરાં પાડેલાં નેતૃત્વ અને એ પછીના સમયગાળામાં એમની મુત્સદ્દીગીરી, શાણપણ અને દૂરંદેશીભર્યા દૃષ્ટિકોણ બદલ દેશના પ્રજાજનો સદૈવ એમના ઋણી રહેશે. રાષ્ટ્રીય, આધ્યાત્મિક, ઐતિહાસિક અને તાત્વિક મૂલ્યોના પ્રતીકરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે આ આદિવાસી વિસ્તારમાં વિકાસનાં નવાં ફલક વિસ્તારશે. અમારો અભિગમ આ સ્થળને શિક્ષણ સાથે મનોરંજન, સંશોધન, સાંસ્કૃતિક, પર્યાવરણીય અને આરોગ્ય સહિતનાં વિવિધ ક્ષેત્રે વિશ્વ કક્ષાના પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાનો છે. એક સાચા – સમર્થ નેતા માનવ સમુદાય માટે કેવો ઉજ્જવળ માર્ગ પ્રેરિત કરે છે, તેની અનોખી અનુભૂતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી કરાવે છે.”શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
માનનીય મુખ્ય મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય
સ્ટેચ્યુ ઓફ યુનિટી |
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની પ્રતિમા
સ્ટેચ્યુ ઓફ યુનિટી
ભારત
૧૮૨ મીટર
સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધ
ચીન
૧૫૩ મીટર
ઉસીકુ દાઈબુત્સુ
જાપાન
૧૨૦ મીટર
સ્ટેચ્યુ ઓફ લિબર્ટી
અમેરિકા
૯૩ મીટર
ધ મધરલેન્ડ કોલ્સ
રશિયા
૮૫ મીટર
ક્રાઇસ્ટ ધ રિડીમર
બ્રાઝીલ
૩૮ મીટર
વિવિધતામાં એકતા માટેની ભારતની વિશેષતાનું વિરલ સ્વરૂપ
પ્રાચીન કાળથી જ સ્થાપત્યો અને સ્મારકો ભારતની વિશેષ ઓળખ બની રહ્યાં છે. અજંતા-ઇલોરાની ઐતિહાસિક ગુફાઓથી માંડીને માઉન્ટ આબુ ખાતેનાં દેલવાડાનાં દહેરાં (મંદિરો) ઉપરાંત તાજમહાલથી લઇને મદુરાઇના મિનાક્ષી મંદિર વગેરે વૈશ્વિક સ્તરે ભારતીય સ્થાપત્યોની સુંદરતા અને શ્રેષ્ઠતાને દર્શાવે છે. આ જ પ્રમાણે વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી તાજેતરનાં વર્ષોનું સૌથી શ્રેષ્ઠ બહુઆયામી સર્જન છે. નર્મદા નદી પરના સરદાર સરોવર બંધની સન્મુખ આવેલી આ પ્રતિમા તેના વિરાટ કદની સાથે બીજું ઘણું બધું પ્રતિબિંબિત કરે છે.
ભારતની આઝાદીની ચળવળ દરમિયાન અને એ પછી રજવાડાંના વિલીનીકરણમાં અતિ મહત્વની ભૂમિકા અદા કરીને અપ્રતિમ યોગદાન આપનાર ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલનું આ વિશાળ પ્રતીક છે. એક સંગઠિત રાષ્ટ્ર તરીકે ભારતની એકતા-અખંડિતતાના કેન્દ્રપુરુષ એવા સરદાર વલ્લભભાઇ પટેલના ખૂબ ઊંચેરા વ્યક્તિત્વને આ પ્રતિમા દુનિયા સમક્ષ રજૂ કરે છે.
આ લોખંડી પુરુષના બુદ્ધિચાતુર્ય અને સામુદાયિક આદેશ ને કારણે એ વખતે નાનાં – મોટાં રજવાડાં અખંડ ભારતનો હિસ્સો બનવા વિના કોઇ શરતે સહમત થઇ ગયાં હતાં. એ રીતે જોઇએ તો એકતાનો અર્થ અને તેનું મૂલ્ય આ વિરાટ પ્રતિમા સાથે પરસ્પર પૂરક બનીને રહે છે. તેના ડિઝાઇનર્સ દ્વારા કરાયેલી તેની આધુનિક સંરચના સાથે પણ તે એકદમ સુસંગત બની રહે છે, જે આ વિરાટ પ્રતિમાની મુલાકાત લેનાર પ્રત્યેક વ્યક્તિ આગળ આ સમગ્ર બાબતોના સારરૂપે પ્રતીકાત્મક રીતે દૃષ્ટિગોચર થાય છે.
નાના-મોટાં તમામ રજવાડાંને દેશના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે મુત્સદ્દીગીરી અને શાંતિ-સમજાવટપૂર્વક સમજાવી-મનાવીને સરદાર પટેલે દાખવેલી કુનેહ અને પ્રતિબદ્ધતા વડે જે પડકાર ઝીલ્યો હતો અને જરૂર જણાઇ ત્યાં લોખંડી વલણ પણ દાખવી જાણ્યું, તે બદલ તેઓને આજે પણ એટલો જ આદર અને સન્માન અપાય છે.
સરદાર પટેલે શિક્ષણથી માંડીને સંશોધન કેન્દ્રો, આદિજાતિ વિકાસ, પ્રવાસન સુવિધાઓ, સામાજિક માળખાકીય બાબતો વગેરે સહિત અનેકવિધ ક્ષેત્રે બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. સામાજિક વિકાસ ક્ષેત્રે તેમના ઉલ્લેખનીય પ્રદાન સંદર્ભે આ ભવ્ય અને આકર્ષક સ્મારક ઘણે અંશે સુસંગત છે.