Now, it will be mandatory for all visitors visiting the Statue of Unity & other tourist attractions to wear masks and follow COVID Protocols of the Govt. Please note : " No entry without Masks "

સાયકલ ટુર

કેવડિયામાં સાયક્લીંગની મોજ માણો

ઝરવાણી અને ખલવાણી સાયકલીંગ પ્રવાસઃ- પહાડી વિસ્તારમાં પવનની લહેરો વચ્ચે વિંધ્યાચળ અને સાતપુડાના નિતાંત સૌંદર્યને સાયકલ પર માણવાની તક અહીં જ છે. સાયકલ પર સવાર થઇને આ વિસ્તાર ખેડવાનો અનુભવ અનેરો છે. આરોગ્યપ્રદ પાણીના વહેણમાં ઘટાટોપ જંગલમાં પ્રકૃત્તિના તમામ તત્ત્વો પ્રદાન કરતો આ વિસ્તાર ચિત્રમય સુંદરતા, સુક્ષ્મ સજીવ સૃષ્ટિ અને સંસ્કૃતિથી ભર્યોભર્યો છે. સાયકલ પર આ વિસ્તાર ખૂંદવોએ જીવનનો અવિસ્મરણીય આનંદ છે.

ટુર-ડી-ખલવાણી

  • ટુરડેખલવાણીઃ

    પ્રવાસ આકર્ષણઃ આ પરિવારલક્ષી પ્રવાસ છે તેમાં બાળકોની નાની સાયકલ, યુગલ માટે બે બેઠકવાળી સાયકલ અને નિયમિત સાયકલનો સમાવેશ થાય છે.

    • કુલ પ્રવાસ અંતરઃ ૧૪ કિલો મીટર
    • પ્રવાસ સમયગાળોઃ ૩ કલાક, આ પ્રવાસ ૩૬૫ દિવસ માટે કાયદેસર છે.
    • પ્રવાસ સમય: ૧૨:૦૦ બપોર થી ૩:૦૦ અને ૩:૦૦ થી ૬:૦૦
    • પ્રવાસ વિગતોઃ રોલીંગ ટ્રેન
    • પ્રવાસ ક્ષમતાઃ દરેક પ્રવાસ દીઠ ૩૦ સહેલાણીઓ
    • સમાવેશઃ ગિયર વગરની સાયકલ
    • રસ્તે મળતી સવલતોઃ પીવાનું પાણી, ફળો, ચા, હળવો નાસ્તો
    • અન્ય સવલતોઃ ૧ ભોમિયો, ૧ ફલોટ એસ્કોર્ટ અને ૧ પ્રવાસ એસ્કોર્ટ રાઇડ પૂરી થાય ત્યાં સુધી ઉપલબ્ધ રહેશે.
    • કિંમત દરઃ પ્રવાસી દીઠ (૨૦ સંખ્યા) અને યુગલ માટે બે બેઠકવાળી સાયકલ માટે રૂ.૫૫૦/- (વધુમાં વધુ ૦૫ યુગલ)
    • પ્રારંભ પોઇન્ટઃ સરદાર સરોવર બંધ પાર્કીગ (વ્યુ પોઇન્ટ ૦૧)
    ટિકિટ બારી સમયગાળાના ૧૫ મિનિટ પહેલાં બંધ થશે જેમ કે બપોરે ૧૨.૦૦ થી ૩.૦૦ ના સમયગાળા માટે બંધ થવાનો સમય બપોરના ૧૧.૪૫ અને બપોર ૩.૦૦ થી સાંજે ૬.૦૦ ના સમયગાળા માટે બંધ થવાનો સમય બપોરના ૨.૪૫ કલાક.

ટુર-દી-ઝરવાની

  • ટુરડેઝરવાણીઃ

    • પ્રવાસ આકર્ષણઃ- ડુંગરાળ વિસ્તારમાં સાયકલ રાઇડ રોમાંચક અનુભૂતિ આપે છે.
    • કુલ પ્રવાસ અંતરઃ-૨૨ કિલો મીટર
    • પ્રવાસ સમયઃ- ૩ કલાક ૩૦ મિનિટ આ પ્રવાસ ૩૬૫ દિવસ માટે માન્ય છે.
    • પ્રવાસ વિગતોઃ- મધ્યમ પર્વતારોહણ અને ઢોળાવ પર યોગ્ય રાઇડ
    • સવલતઃ- સુંદર પ્રકૃતિ વચ્ચે પ્રોત્સાહક યોગ સેશન
    • માર્ગમાં મળતી સવલતઃ- પીવાનું પાણી, ફળો, ચા, સ્થાનિક વાનગીઓ મુખ્ય આહાર
    • અન્ય આકર્ષણઃ- ૧ ભોમિયો, ૧ એસ્કોર્ટ અને ૧ ટુર એસ્કોર્ટ રાઇડ પૂરી થાય ત્યાં સુધી સાથે રહેશે.
    • સલામતી સુરક્ષાઃ- ૪ વ્યકિતની બેસવાની ક્ષમતા સાથે એક સપોર્ટ વાહન એક સ્ટેન્ડ બાય સાયકલ તેમજ મેડિકલ કીટની સવલત સમગ્ર ટ્રીપ દરમ્યાન રાઇડરને મળશે.
    • પ્રવાસ સમયઃ- સવારે ૬.૦૦ થી ૯.૩૦ કલાક અને બપોરે ૨.૩૦ થી ૪.૦૦ કલાક
    • પ્રવાસ સભ્ય સંખ્યાઃ- દરેક ટ્રીપ દીઠ ર૦ પ્રવાસીઓ
    • ટિકિટ દરઃ- પ્રવાસી દીઠ રૂ.૧,૦૦૦/- (વધુમાં વધુ ૧૦ પ્રવાસી)
    • આરંભ પોઇન્ટઃ- શ્રેષ્ઠ ભારત ભવન (રમાડા હોટલ)
    ટિકિટ બારી નિયત સમય કરતાં ૩૦ મિનિટ પહેલાં બંધ થશે સવારે ૬.૦૦ થી ૯.૩૦ કલાક માટે બંધ થવાનો સમય સવારે ૫.૩૦ કલાક અને બપોરે ૧૨.૩૦ થી સાંજે ૪.૦૦ કલાક માટે બપોરે ૧૨.૦૦ કલાક

For more details visit our official website www.statueofunity.in or our Helpdesks at Shrestha Bharat Bhavan and Statue of Unity

Contact Details:

સંપર્કઃ અભિષેક ચંદાવત, સંપર્ક નં.+91 7300388555.
Email: cycletour@motosportpark.com

 

Close Menu